"હે ઇશ્વર તુ મારી અંદર બેસીને જે જે આગ્ના કરે છે તે પ્રમાણે હું વર્તન કરુ છું. તરી આગ્ના પ્રમાણે પ્રેમ કરું છું, પછડાઉં છું, પાછો ઊભો થઈને પ્રેમ કરું છું. એ પછડાટોમાં મને ઇશ્વરે સંદેશ આપ્યો ચે કે મરે માત્ર પ્રેમ કરતા રહેવાનું, બાકી નું હું સંભાળી લઈશ."
-કાકાસાહેબ કાલેલકર
"પરફેકશન? પૂર્ણતા? તદન વાહિયાત ને હાસ્યાસ્પદ વાત છે. સત્ય એ છે કે તમારી પાસે કોઇ પસંદગી જ નથી. જીવનની સંપૂર્ણતા કે તમારા સર્જન્ની સંપૂર્ણતા. બન્ને વસ્તુ અસંભવ છે."
"પકડો કલમ ને કોઇ પળે એમ પણ બને,
આ હાથ આખેઆખો બળે એમ પણ બને,
જ્યાં પહોંચવાની જંખના વરસોથી હોય,
મન ત્યાં પહોંચતા જ પાછુ વળે એમ પણ બને..."
"ઇચ્છવા પ્રમાણે જીંદગી જિવાતી નથી. કારણકે ઇચ્છાઓ હંમેશા સંજોગો પર નિર્ભર છે અને સંજોગો જીતવાની માણસે કલ્પના જ ન કરવી જોઇએ, ફક્ત સંજોગોની સામે હારી ન જવાય એ જ ખ્યાલ રાખવો જોઇએ."
"પ્રતિક્ષા કરતાં હોઇએ એટલે કોઇ આવે જ, એવું ક્યાં છે? અથવા કોઇ આવવાનું છે, એટલે પ્રતિક્ષા કરવી એવું પણ નથી.
પ્રતિક્ષા તો એટલા માટે છે કે પ્રત્યક્ષ કોઇ નથી."
-ક્રુષ્નાયન (કાજલ ઓઝા વૈધ)
"એક જીવંત અસ્તિત્વને જગાડવા માટે એલાર્મ ઘડિયાળ જેવી નિર્જીવ ચીજની જરુર પડે એ આપણા ચેતનાપૂર્ણ જીવનની એક કટાક્ષિકા જ ગણાય."
-ટેલિગ્રામ(ગુણવંત શાહ)
લેબલ Collection સાથે પોસ્ટ્સ બતાવી રહ્યું છે. બધી પોસ્ટ્સ બતાવો
લેબલ Collection સાથે પોસ્ટ્સ બતાવી રહ્યું છે. બધી પોસ્ટ્સ બતાવો
મંગળવાર, 9 જૂન, 2009
આના પર સબ્સ્ક્રાઇબ કરો:
પોસ્ટ્સ (Atom)