મંગળવાર, 2 જૂન, 2009

મહાભારત


યુ.એસ આવ્યા પછી મહાભારત જોવાનું શરુ કર્યું અને આજે એનો છેલ્લો એપીસોડ જોયો. આખા મહાભારત માં કૌરવો પર ગુસ્સો આવતો રહ્યો. નાનપણ થી જ ભીમ ને ઝેર પાયુ, લાક્ષાઘર માં આગ લગાડી,ધ્યુતક્રિડા માં કરેલું કપટ અને બધા જ ગુનાહ નું ઉપરી થાય એવું દ્રોપદી વસ્ત્રાહરણ.......પોતાની જ ભાભી ને વાળ ખેંચી રાજસભા માં લાવી, વેશ્યા કહેવી,પોતાની જંઘા પર બેસડવાનું કહેવું.............મહાભારત નું યુધ્ધ તો ત્યાર થી જ નક્કી હતું.

મહાભારત નું યુધ્ધ શરું થયુ ત્યાં સુધી કૌરવોએ કપટ સીવાય કાંઈ જ નહોતું કર્યું. સંધી માટે નારાયણ ના કહેવાથી પાંડ્વો પાંચ ગામ લેવા પણ તૈયાર થઈ ગયા હતા પણ દુર્યોધને શાંતિદુત બનીને આવેલા ક્રુષ્ણનું પણ અપમાન કર્યું હતું. યુધ્ધ માં પણ પહેલું કપટ કૌરવો એ કર્યું. જેમની સેનામાં પિતામહ ભીષ્મ,ગુરુ દ્રોણાચાર્ય,ક્રુપાચાર્ય, સૂર્યપુત્ર કણ્ર જેવા મહારથી હતા જે પોતે જાણતા હતા કે અમે અધર્મ નો સાથ આપીએ છે. અભિમન્યુ કદાચ ચક્ર્વ્યુહ ભેદી શકત પણ બધા યોધ્ધાઓએ સાથે મળી ને તેને માર્યો. ત્યારથી યુધ્ધ ના નિયમો ટુટવાનું શરુ થયું. અને તે પછી જે નિયમો ટુટ્યા એ પાંડ્વોએ તોડ્યા. જેઓ પોતે ધર્મ હતા એમણે અધર્મ કર્યો. ભીષ્મપિતા ને શીખંડી રુપે સ્ત્રી ને આગળ કરી અર્જુને બાણ ચલાવ્યા. દ્રોણાચાર્ય ને અશ્વત્થામા મરાયો કહી એ જ્યારે રથ પર નહતા, શસ્ત્રવિહીન હતા ત્યારે માર્યા. જયદ્રથ ને મારવા ખુદ ક્રુષ્ણ ભગવાને સુરજ ઢાંકી દીધો હતો. કર્ણ જોડે તો અન્યાય સિવાય કાંઈ જ થયું નહતું. તેના જન્મ થી લઈ મરણ સુધી ખુદ ભગવાને તેની સાથે અન્યાય કર્યો હતો.અને દુર્યોધનને પણ ગદા યુધ્ધના નિયમો નુ ઉલ્લંઘન કરી માર્યો હતો........આ બધુ જોઇ એમ જ લાગ્યુ કે ખુદ ભગવાન, નારાયણે પોતે આટલા કપટ કર્યા......અર્જુન જે સર્વશ્રેષ્ઠ ધનુર્ધર કહેવાતો એણે બધાને છલથી જ માર્યા.

અધર્મ ને એકલા ધર્મથી ના જીતી શકાય???? ભગવાન પોતે જ શીખવાડે કે સારા સામે સારાપથી ના જીતી શકાય???? હું પોતે સમજી ના શકી. આજના કળીયુગ માં આનો કેટલો ઉંધો અર્થ લેવાઈ જાય ;) કે કોઈ મારી સાથે ખરાબ કરે તો હું એનું વધારે ખરાબ કરી શકું (છોને આપણે એ નક્કી કરવા જેટલા સક્ષમ ના હોઇએ). એ વખતે આપણે એ સમજી નથી શકતા કે મહાભારતના નિર્ણયો લેનાર પ્રભુ પોતે હતા. એ વાત બાજુ પર રાખીએ ને ફરીથી શરુ કરીએ.

આપણ ને બધા ને એટલું તો ખબર છે કે ધર્મ પાંડ્વો બાજુ હતો. જો દુર્યોધનની જીત થાત તો હસ્તીનાપુર ની દુરગતિ (વાટ લાગી જાત) થાત. એટલે તેનું હારવું પણ એટલું જ જરુરી હતું. તેની સાથે યુધ્ધ કરનારા જેવા તેવા નહતા. પિતામહ પોતે પરશુરામ શિષ્ય, ઇચ્છામ્રુત્યુ ધરાવનાર,પરશુરામ (જેમણે આખી પ્રુથ્વી ને હરાવી હતી એમને) ભીષ્મ પિતામહા એ હરાવ્યા હતા . જે ખાલી સ્ત્રી સામે હથીયાર ચલાવાના ન હતા એ કેવી રીતે મરત ???? જયદ્રથ, જેને એ દિવસે ના મારત તો અર્જુને પોતે સમધિ લેવી પડત. જે ક્રુષ્ણ થવા ના દેત (અર્જુન એટલે નર અને કરુષ્ણ એટલે નારાયણ બન્ને વિષ્ણુ ભગવાનના સ્વરુપ છે- બદ્રિનારાયણ). દ્રોણ જે પોતે અર્જુનના ગુરુ હતા.અને દ્રુપદ પુત્ર ધ્રુશ્ટ્ધ્યુમ જેણે તો જન્મ જ દ્રોણ ને મારવા માટે લીધો હતો.
અર્જુન જે સર્વશ્રેષ્ઠ ધનુર્ધર કહેવાતો ત્યારે પણ જ્યારે કર્ણના કવચ-કુંડળ છલથી કઢાવી લીધા હોય.એ તો બ્રાહ્મણ અને પોતાના ગુરુના બે શાપથી પીડાતો હતો છતા અર્જુન ને હરાવવા સક્ષમ હતો. એને છલ વગર મારવો શક્ય નહતો.અને દુર્યોધન, એનું પણ શરીર ગાંધારી ને મહાદેવ ના આશીર્વાદ ને લીધે વજ્ર થઈ ગયુ હતું...જેને ભીમ કમરથી નીચે ના મારે તો મરવાનો નહતો.....અને પાછું કોઇક્ને આ ભગવાનનું વરદાન હોય કોઇક ને પેલા ભગવાનનું. અને પાછા કોઇનાય વરદાન તુટવા ના જોઇએ.એક સૂર્યપુત્ર ને બીજો ઇન્દ્રપુત્ર....પાછા બધા પાસે બ્રહ્માસ્ત્ર......અને એમાં પણ આપણને B. R. CHOPRA બતાવે તેટલું જ આપણને ગ્યાન. મને પોતાને અફસોસ છે કે મેં દુનિયાનું સૌથી મોટું કાવ્ય નથી વાંચ્યું.....
એક ક્રુષ્ણોક્તિ: "શાંતિ કોઇ પણ કિંમતે મળે એ સસ્તી છે".તે જ રીતે કોઇ પણ કિંમતે ધર્મ ની સ્થાપના થવી જ જોઇએ...

4 ટિપ્પણીઓ:

  1. Bhabhi.. aa mahakaavya maara ane tamara jeva saamanya maanaso ni samaj thi kyaaye undu chhe.. ane saachu kahu to aapde roj ni life ma jetla pan problems thata hoy e badha nu solution aani koine koi ghatna ma tamne mali jashe.. bas etlu yaad raakho
    "Karmanya vaadhikaarste.. Maa faleshu kadachana"

    ;-)

    જવાબ આપોકાઢી નાખો
  2. thts true....me 4-5 var gita vancheli che pan haji jyare vanchu tyare am lage k 400-500 var vanchish toy am lagashe haji ghanu samajavanu baki che...

    જવાબ આપોકાઢી નાખો
  3. I loved the final line of your blog. That is what Mahabharat wasa all about. A different view on Mahabharat. Liked it.

    જવાબ આપોકાઢી નાખો
  4. શીખંડી વિષે નાટ્યાત્મક જાણકારી હોય તો શેર કરશો તો ગમશે.

    જવાબ આપોકાઢી નાખો